જય શ્રી જલારામ બાપાનું વ્રત - ૩ ગુરૂવારનું ચમત્કારીક વ્રત - ત્રણ જ ગુરુવાર શા માટે? - SB Entertainment Blogs

शुक्रवार, 9 जुलाई 2021

જય શ્રી જલારામ બાપાનું વ્રત - ૩ ગુરૂવારનું ચમત્કારીક વ્રત - ત્રણ જ ગુરુવાર શા માટે?

જય શ્રી જલારામ બાપાનું વ્રત
૩ ગુરૂવારનું ચમત્કારીક વ્રત


 • વ્રતની રૂ૫ રેખા
 • શ્રી જલારામ બાપાના વ્રતના નિયમો
 • વ્રતની વિધિ
 • ઉજવણું
 • કૃપાળુ શ્રી જલારામ બાપાના આશીર્વાદ જેને ફળ્યા
 • નબળો ધંધો ચાલતો થયો
 • સુનામીમાં બચી ગયા
 • અન્ય ચમત્કારો
 • શ્રી જલારામ બાવની
 • દોહરો
 • આરતી
 • સ્તુતિ

જય શ્રી જલારામ બાપા
                   
|| શ્રી ગણેશાય નમઃ ||

જય શ્રી જલારામ બાપાનું
ત્રણ ગુરૂવારનું ચમત્કારીક વ્રત
ત્રણ જ ગુરૂવાર શા માટે ?

          ત્રણ ગુરૂવારનો ગુરૂનો આંક ૩ ( ત્રણ ) છે.

          ત્રણ ભુવનોનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. દેવલોક, પૃથ્વીલોક અને પાતાળલોક.

          ત્રણ ગુરૂવારના દિવસો ૨૧ જ થાય . ૨૧ એટલે ૨ + ૧ = ૩ આમ ૨૧ અને ૨૧ ના આંક ને આપણા ધર્મમાં શુભ માનવામાં આવ્યો છે.

          ભકત શ્રી જલારામ બાપાને સાચા મનથી ફકત યાદ કરવાથી તેઓ ભકતની દરેક મનોકામના પૂર્ણ કરે છે અને જે ૨૧ દિવસમાં સિધ્ધ થાય જ છે. 


વ્રતની રૂ૫ રેખા

          રાજકોટ નજીક વીરપુર ગામમાં પ્રધાનજી અને માતા રાજબાઈને ત્યાં બાળ સ્વરૂપે જલારામ બાપા સંવત ૧૮૫૬ માં કારતક સુદ સાતમને જન્મ્યા હતા. પ્રભુજનો અને સાધુ સંતોની સેવા જ તેમનો મુદ્રાલેખ હતો. અંતર મનનો અવાજ સાંભળી સમાજ અને કાકાની શરમ વગર શ્રી જલારામ બાપા સંતોને ધન ધાન્ય આપતા અને ખુબ સેવા ચાકરી કરતા. ઈશ્વર તો દરેકના મનની અંદર વસેલો છે એવુ તેઓ માનતા હતા.

         જે વ્યક્તિ શ્રી જલારામબાપાની ભકિત તન, મન, ઘનથી કરે છે તેના સર્વ વિઘ્નો દૂર થાય છે. સર્વ દુ:ખ મટે અને સર્વ સુખ પ્રાપ્ત થાય છે. જે શ્રી જલારામ બાપામાં ઉંડો વિશ્વાસ રાખે છે તેની ઈચ્છા બાપા પુર્ણ કરે છે.

          શ્રી જલારામ બાપાના વ્રત શ્રધ્ધા અને વિશ્વાસ રાખી કરવાથી મનવાંછીત ફળ પ્રાપ્ત થાય છે. તેમા કોઈ સંશય નથી.

          જે બાપાના ચરણોમાં જાય છે તેના દરેક દુઃખ દર્દ બાપા દૂર કરે છે. જયારે જયારે પૃથ્વી પર ઘર્મની હાનિ થાય છે ત્યારે ત્યારે ઘણા સ્વરૂપે ઈશ્વરે પૃથ્વી પર અવતાર લીધો છે અને ઘર્મ પ્રત્યે પ્રેમ અને આદરથી સ્થાપના કરી લોકોને નવો રસ્તો બતાવ્યો છે. આવા અવતારી પુરુષોમાં બાપા મોખરે છે. શ્રી વીરપુરવાળા શ્રી જલારામ બાપાથી કોણ અજાણ્યુ છે ?

           શ્રી જલારામ બાપાનું સ્મરણ મનથી ક૨વાથી શરીરમાં નવી શકિતનો સંચાર થાય છે અને દુનિયાના લોકો તમને સર્વોત્તમ દરજજો આપે છે. 

          શ્રી જલારામ બાપાએ તેમના જીવનકાળમાં ઘણા ચમત્કાર કર્યા હતા. જેમ કે તેમના કાકાને અન્નને બદલે છાણા દેખાય ઘી ને બદલે જળ દેખાય અને ઈશ્વર ભક્તિ કરનારને પણ આવા જ અવિસ્મરણીય ચમત્કારોનો પ્રત્યક્ષ અનુભવ શ્રી જલારામ બાપાના વ્રત કરવાથી લોકોને થાય છે. 

         શ્રી જલારામ બાપા પર શ્રદ્ધા રાખી ત્રણ ગુરૂવાર વિધિપૂર્વક વ્રત કરવાથી નકકર અને અકલ્પનિય પરિણામ પ્રાપ્ત થાય છે અને આ વ્રત શ્રદ્ધા રાખી કરવાથી મનની દરેક કામના પૂર્ણ થાય છે, તે માટે શ્રી જલારામબાપાના વ્રતના નિયમો વાંચી તેનું પાલન કરી, શ્રદ્ધાથી વ્રતની શરૂઆત કરવી.


શ્રી જલારામ બાપાના વ્રતના નિયમો

૧. આ વ્રત જગતના સર્વ સ્ત્રી - પુરુષ કે બાળક કરી શકે છે. આ વ્રતમાં કોઈપણ ઉમરનો બાધ નથી.

૨. આ વ્રત ખુબ જ ઉત્તમોત્તમ અને ચમત્કારી છે. ત્રણ ગુરૂવાર વિધિપૂર્વક વ્રત કરવાથી ચોકકસપણે ધાર્યું ફળ આપે છે. 

૩. આ વ્રત કોઈપણ ગુરૂવારે શ્રી જલારામ બાપાનું મનમાં સ્મરણ કરી શરૂ કરવું અને તમારી જે મનોકામના, ઇચ્છા હોય તે કાર્યનો મનમાં સંકલ્પ કરી શ્રી જલારામ બાપાને અંત:કરણ પૂર્વક યાદ કરી શરૂઆત કરવી.

૪. આ વ્રતની શરૂઆત કર્યા પછી એક પણ ગુરૂવાર વચ્ચે ખાડો પડે નહી તેનું ધ્યાન રાખવું.

વ્રતની વિધિ


૧. ગુરૂવારે સવારે નિત્યકર્મ પતાવી સ્વચ્છ કપડા પહેરી શ્રી જલારામબાપાના ફોટાને કંકુથી ચાંદલો કરી આસન ઉપર સ્થાપન કરવું ( કોઈપણ કાપડ પાથરી શકાય, (પીળુ ઉત્તમ જાણવું) પછી શ્રી જલારામ બાપાના ફોટાને કુલોનો હાર ચઢાવી ધુપ પ્રગટાવી દીવો કરવો, પ્રસાદમાં કોઈપણ ફળ, સિંગદાણા અને કંઈ ન હોય તો સાકર પણ ધરાવવી. (શ્રદ્ધા અગત્યનું ફળ આપે છે પ્રસાદમાં શું છે એ નહી પણ પ્રસાદ કેવા ભાવથી ઘરાવેલ છે એ અગત્યનું છે.) 

૨. આ વ્રત ભુખ્યા પેટે કરવાનું નથી. દુધ, ચા, ફળ, દહી કંઈ પણ લઈ શકાય એક વારના ભોજનમાં શ્રી જલારામ બાપાની પ્રસાદી સ્વરૂપે ખીચડી, મગની દાળ, તુવર દાળ કે કંઈ પણ પ્રકારની ખીચડી બનાવી ભોજન સાથે લેવી. ખાલી પેટે આ વ્રત કદાપી કરવું નહી. 

3. ત્રણ ગુરૂવાર નજીકનાં કોઈપણ મંદિરે જવું અગર મંદિરે ન જવાય તો ઘરમાં ઈષ્ટદેવને પગે લાગી દંડવત પ્રણામ કરવા.

૪. વ્રતના ગુરૂવારે અડચણ કે સુતક લાગતુ હોય તો તે ગુરૂવાર ન લઈ તે સિવાયના ગુરૂવાર ગણવા. ત્રીજા ગુરૂવારે ઉજવણું કરવું. કોઈ પણ એક નિયમ ત્રણ ગુરૂવાર સુધી લેવો. (જેમ કે સત્ય બોલવું , વડીલોને માન આપવું, માતા - પિતાને પગે લાગવું)

ઉજવણું 

૧. ત્રીજા ગુરૂવારે વ્રતનું ઉજવણુ કરવું. તેમા ૩ ગરીબોને યથા શકિત ભોજન આપવું. 

૨. શ્રી જલારામ બાપાના વ્રતનો ફેલાવો કરવા શ્રી જલારામબાપાના વ્રતની ચોપડી ૫,૭,૧૧,૨૧ કે યથા શકિત પ્રમાણે સગા સંબંધી કે આડોશ પાડોશમાં આપવી. 

૩. ત્રણ ગુરૂવારે ભેટમાં આપવાની વ્રતની ચોપડી ત્રીજા ગુરૂવારે વ્રતમાં મુકવી અને પછી જ આપવી જેથી વ્રત કરનાર અને જેમને વ્રતની ચોપડી આપો છો તે સર્વની મનોકામના પૂર્ણ થાય. 

          શ્રી જલારામ બાપાનું વ્રત કરી તેનું ઉજવણું કરવાથી ચોકકસ ધાર્યું કામ થાય છે અને સુખ - શાંતિ, સ્વાસ્થય, સમૃદ્ધિ, કીર્તી, વિદ્યા પ્રાપ્ત થાય છે, જેમાં કોઈ શંકા નથી. 

કૃપાળુ શ્રી જલારામ બાપાના આશીર્વાદ જેને ફળ્યા

કલ્પનાબહેન અને સુપલભાઈ સુરતમાં સ્થાયી થયા ને ૧૫ વર્ષ થયા . એક ડાઈગ હાઉસમાં સુપતભાઈ ખુબ મહેનતથી રૂપિયા કમાતા, સુપલભાઈનું સ્વાસ્થય પહેલેથી સારૂ પરંતુ બચપણથી જ હૃદયનો એક વાલ્વ નબળો હતો. 
         એક સહકારી બેંકમાં ખુબજ મહેનતથી સુપલભાઈએ રૂપિયા બે લાખની ફીકસ ડીપોઝીટ કરાવેલ હતી. એક દિવસ મીલ પરથી ઘરે પરત થતા અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડતા નજીકના ડોકટર પાસે ગયા બીજા દિવસ નજીકની મોટી હોસ્પીટલમાં દાખલ થવા જણાવી જરૂરી દવા આપી ઘરે આવ્યા.
         કલ્પના બેનનો જીવ ખુબજ દયાળુ. 
         મનમાં શ્રી જલારામ બાપાનું નામ લઈ સંકલ્પ કર્યો કે સુપલભાઈ સાજા થાય તે માટે શ્રી જલારામ બાપાનું વ્રત કરીશ અને ઉજવણામાં ૭ વ્યકિતઓને વ્રત વિશે જણાવીશ. બીજે દિવસે સવારે કલ્પનાબેન દુ:ખી હદયે બેંકમાંથી રૂપિયા બે લાખ બચત ઉપાડી લાવી ડોકટરને બતાવવા ગયા છાતીના એકસરે અને બીજા રીપોર્ટ કઢાવ્યા અને બીજે દિવસે ડોકટર પાસે જતા જુની શરદી ને કારણે છાતીમાં દુ:ખાવાનું કારણ જણાયું અને ત્રીજે દિવસે એ સહકારી બેન્કે પણ ઉઠામણુ કર્યું. 
          આમ કલ્પનાબહેનના રૂપિયા પણ બચી ગયા અને નહીવત ખર્ચામાં પતિની બિમારી દુર થઈ અને સ્વાસ્થ્ય પ્રાપ્ત થયું. કલ્પનાબહેનના ભાભીએ જયારે અમદાવાદ આ વાત સાંભળી તેમની બન્ને દિકરીઓએ પણ શ્રી જલારામ બાપાનું વ્રત શરૂ કર્યું અને બોર્ડમાં સારા ટકાએ ઉતીર્ણ થયા. 

નબળો ધંધો ચાલતો થયો

ભદ્રેશભાઈ અમદાવાદમાં નાના સરખો ડીપાર્ટમેન્ટલ સ્ટોર્સ ચલાવતા હતા છેલ્લા ઘણા સમયથી તેમનો ધંધો ધીમો ચાલતો હતો પત્ની તેજલબેન સાથે સુખે દુ:ખે રહેતા એક દિવસ તેજલબેને તેમની ભાભી સાથે બજારમાં ગયા ત્યાં તેમને ભાભીની બેન પાસેથી શ્રી જલારામ બાપાના વ્રતની જાણકારી મળી . તેમણે પણ મનોમન શ્રી જલારામ બાપાનું સ્મરણ કરી વ્રત કરવા સંકલ્પ કર્યો. 
         વ્રત ચાલુ થયાને બે અઠવાડીયા થયા અને એક દિવસ રાત્રે ઘંઘા પરણી ભદ્રેશભાઈ ઘરે આવીને તેજલબેનને ખુશખબર આપ્યા છે અમદાવાદની એક મોટી કંપનીના સ્ટાફની કેન્ટીન માટે જરૂરી દરેક વસ્તુ પુરી પાડવાનો કરાર ( કોન્ટ્રાકટ ) મળી ગયો છે અને મહિને ત્રણગણી આવ થઈ જશે. 
           વ્રતના ઉજવણાના દિવસે તો તેમનો ધંધો ચાલુ થઈ ગયો હતો અને તેજલબેને પહેલું વ્રત ધામધુમથી ઉજવ્યું અને સંકલ્પ કર્યો કે બીજી વખત પણ હું આ શ્રી જલારામ બાપાનું વ્રત કરીશ. આમ વર્ષમાં તેમણે ૭ વખત શ્રી જલારામ બાપાનું વ્રત કર્યું. વર્ષના અંતે તેજલબેન અને ભદ્રેશભાઈ ના ઘરે ગાડી પણ આવી ગઈ અને સુખેથી રહેતા થયા.

સુનામીમાં બચી ગયા

         મુંબઈમાં અમીષભાઈ અને લતાબેન વાલ્વેશ્વરમાં રહે છે. અમીષભાઈ એક મેડીકલ કંપની ચલાવે છે અને ખુબજ કમાણી કરતા. અમીષભાઇ હંમેશા ધંધાના કામે માર્કેટીંગમાં બહાર ગામ જવાનું થયા કરે. 
          લતાબેન સુરત તેમની દિકરીને લઇ તેમના ભાઇના લગ્નમાં ૧૯ મી ડિસેમ્બરે સુરત અમીષભાઈ સાથે આવ્યા રરમી ડિસેમ્બરે તેમના ભાઈના લગ્ન સુખરૂપ પતાવ્યા. અમીષભાઈને ધંધાના કામે જવાનું હોવાથી અમીષભાઈ સુરતથી જ ચેન્નાઇ ચાલ્યા ગયા. લતાબેન ભાઈના ઘરે પાંચ - છ દિવસ રોકાવાના હતા એ દરમ્યાન એમના મમ્મીએ ગુરૂવારે ૨૩ મી ડિસેમ્બરે શ્રી જલારામ બાપા ના વ્રતનું ઉજવણું કર્યું અને લતાબેને તે દિવસથી શ્રી જલારામ બાપાના વ્રતની શરૂઆત કરી. ઘરની દરેક વ્યકિતની સુખ શાંતિ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે મનમાં સંકલ્પ કર્યો અને ખુબજ શ્રદ્ધાથી વ્રત ઉજવવાનો સંકલ્પ કર્યો. 
          ત્રણ દિવસ પછી દરીયાઈ ભુકંપ સર્જાયો હતો જેમાં ઘણાબધા લોકોની જાન ગઈ આ સુનામીમાં અમીષભાઈનો ચમત્કારીક રીતે બચાવ થયો અને તેઓ સલામત ઘરે આવ્યા. 

અન્ય ચમત્કારો

         એક ભાઈ એમ. બી. એ. થયેલા પરંતુ કયાંય નોકરી મળે નહીં. તેમણે તથા તેમની માતાએ શ્રી જલારામ બાપાનું ત્રણ ગુરૂવારનું વ્રત શરૂ કર્યું. તેનું ઉજવણું ખુબજ ધામધુમથી કર્યું. ઉજવણા ના બીજે જ દિવસે એમને એક સારી કંપનીમાં માર્કેટીંગ ઓફિસરની નોકરી મળી ગઇ. 
        એકવાર એક બહેન ટ્રેનમાં જઈ રહ્યા હતા અને એકાએક ટ્રેનને અકસ્માત થયો, ટ્રેન ઉથલી પડતાં ઘણા લોકોને ઈજા થઈ ત્યારે આ બહેન ચમત્કારી રીતે બચી ગયા.
       દોડા દોડીમાં આ બહેનનાં થેલી તથા ઘરેણાં કયાંક અટવાય ગયા હતા. ઘણી શોધખોળ પછી આ બહેનને કોઈ બાબાના રૂપમાં એક ભાઈ થેલી પરત કરી ગયા. પેલા બહેને તે થેલી સુરક્ષિત જગ્યાએ મૂકી નિરાંતનો શ્વાસ લીધો.
          એક અજાણ્યા માણસે બહેનને પુછયું બહેન તમારા ડબ્બામાં તો બધાજ ઇજાગ્રસ્ત છે, તો આપને કેમ કંઇ પણ ન થયુ ત્યારે આ બહેને જવાબ આપ્યો કે ભાઈ હું તો શ્રી જલારામ બાપાનું વ્રત કરૂ છું. જેથી મારા બાપાએ જ મને બચાવી છે. મારા ઘરેણા પણ બાપાએ જ શોધી આપ્યા છે. 

          વલસાડના એક બહેને ૧૨ મા ધોરણની બોર્ડની પરીક્ષા આપી અને પરિણામમાં બે વિષયમાં નાપાસ થઈ અને નિરાશ થઈ ગઈ. આખા વર્ષના અગાથ પરિશ્રમ તેમજ ધગશ હોવા છતાં પણ બે વિષયમાં નાપાસ થવાથી તેમને ઘણો જ આઘાત લાગ્યો. 
         એ દિવસે તે તેની બહેનપણી ના ઘરે જઇ ખુબજ રડી, પોતાનો આપઘાત કરવાનો નિર્ણય જણાવ્યો ત્યારે એની બહેનપણી એ એને હુંફ આપી સમજાવી કે બહેન તુ આમ શું કામ કરે? શ્રી જલારામ બાપા સૌની ઇચ્છા પુરી કરે છે. તુ પણ શ્રી જલારામ બાપાનું વ્રત કર અને પેપર ફરીથી ચેકીંગના માટે અરજી કર બાપા જરૂર તારી મદદ કરશે. 
         એ બહેને તરત જ મનોમન સંકલ્પ કર્યો કે આવતા ગુરૂવારથી જ હું આ વ્રત કરીશ અને અરજી પણ કરીશ.
          પછી એમનું નવું પરિણામ આવ્યું અને એનું પરિણામ પત્રક એની બહેનપણીની હાજરીમાં જ ખોલી ને જોયુ તો ઘણા સારા ટકાએ પાસ થઈ. 
         ઘણા સારા ટકા હોવાને કારણે એને ઘરનાં અને સમાજનાં વ્યકિતઓમાં પણ માન મળ્યું. અને સારી કોલેજમાં એડમીશન પણ મળી ગયું.

 
શ્રી સીતારામચંદ્રભ્યો નમ:

શ્રી જલારામ બાવની

૧. સોરઠ ભૂમિ પાવન ધામ, વીરપુર નામે એમાં ગામ,
પ્રગટયા ત્યાં શ્રી જય જલારામ , જન સેવાનું કરવા કામ , ૨. રાજબાઈ માતાનું નામ, પ્રધાનજી પિતાનું નામ, 
લોહાણા જ્ઞાતિ હરખાય, નામ સમરતા રાજી થાય. 
૩. સંત પધાર્યા એને દ્વાર, રાજબાઇએ કીધો સત્કાર, 
ઉજજવળ થાશે તારી કુખ, એવું બોલ્યા એ નિજમુખ. 
૪. સંવત અઢારસો છપ્પન માંહ્ય, કારતક સુદ સાતમની છાંય, 
આશિર્વાદથી પ્રગટયા રામ, નામ પડયું શ્રી જય જલારામ. 
૫. વૃદ્ધ સંત આવ્યા તે ધામ, ઓળખીયા શ્રી જય જલારામ, 
માતા પિતા સ્વધામે ગયા, કાકાને ત્યાં મોટા થયા. 
૬. સંવત અઢારસો સીતેર માંહ્ય, યજ્ઞોપવિતની વિધિ થાય, 
સંવત અઢારસો બોતેર માંહ્ય, પ્રભુતામાં પગલાં મંડાય. 
૭. કાકાનું સંભાળે હાટ, ધર્મ કાનના મનમાં ઘાટ, 
સાધુ સંતને કેતા દાન, રઘુવીરનું એ ધરતા ધ્યાન. 
૮. એક સમે સંતોનો સંઘ, આવી જમાવ્યો ભુકતનો રંગ, 
જલારામની પાસે આજ, આવ્યા સીધુ લેવા કાજ. 
૯. જલારામ લઈ માથે ભાર, દેવા ચાલ્યા એને દ્વાર, 
પાડોશીને લાગી લ્હાય, કાકાને કહેવાને જાય. 
૧૦. વાલા કાકા દોડયા ત્યાંય, જલા શું દેવાને જાય, 
ગભરામણ છુટી તે વાર, પત રાખે છે દીન દયાળ.
૧૧. છાણાં કહ્યા તો છાણાં થાય, ધી ના બદલે જળ દેખાય, 
પાડોશી તો ભોઠો થાય, દુરિજન કર્મોથી પસ્તાય. 
૧૨. જલા ભકતને લગની થઈ, ભિતર બારી ઉઘડી ગઈ, 
યાત્રા કરવા કીધી હામ, પછી ફર્યા એ ચારે ધામ.
૧૩. ગુરૂ કરવાને પ્રગટયો ભાવ, ફતેપુર જઈ લીધા લ્હાવ, ભોજા ભગત કીધા ગુરૂદેવ, વ્રત લે કેરવા સાચી સેવ.
૧૪. સંવત અઢારસો છોતેર માંહ્ય, સદાવ્રતનું સ્થાપન થાય, 
વીરબાઈ સુલક્ષણી નાર, સેવાની રાખે સંભાળ.
૧૫. સાધુ સંતો આવે નિત્ય, જલાબાપાની જોઇ પ્રીત, 
અન્ન તણા નિધિ છલકાય, બાધા આખડીથી દુઃખ જાય. ૧૬. બાપા સૌમાં ભાળે રામ, ખવરાવી ને લે આરામ, 
ગાડા ભરી અન્ન આવે જોય, સાધુ સંતો ખૂબજ ખાય. ૧૭. તન મન ધન થી દુ:ખીયાજન, આવી નિત્યુ કરે છે ભજન, 
બાપા સૌના દુ:ખ હરનાર, ભેદ ન રાખે કાંઈ લગાર. 
૧૮. થોડા જનનાં કહું છું નામ, મળીયો છે જેને આરામ,
જમાલ ઘાંચી જે કહેવાય, દીકરો તેનો સાજો થાય, 
૧૯. હરજી દરજી પેટનું દુ:ખ, ટાળી ત્યાં પામ્યો છે સુખ, 
મૃત્યુ પામ્યો કોળી એક, પિતા એનો કળગળ્યો છેક. 
૨૦.બાપા હૈયે કરૂણા થાય, રામ નામની ધૂન મચાય, 
થયો સજીવન તેનો બાળ , રામ નામનો જય જયકાર.
૨૧. પૂન્ય તપ્યુ બાપાનું આય; વ્હાલો ઉતર્યો અવની માંય, 
કરી કસોટી માંગી નાર, જોવા જેવું દિલ ઉદાર.
રર. ધન્ય ધન્ય છે વીરબાઈ નાર, પ્રભુ સમ જાણ્યા છે ભરથાર, 
આજ્ઞા આપો છું તૈયાર, સેવા સંતની સાથો સાર. 
૨૩.સેવા કરવા ગયા સતી, જાણી ત્રિભુવનના એ પતિ, 
આકાશવાણી માં સંભળાય, ધન્ય જલા ભકિત કહેવાય. 
ર૪. ડંડો ઝોળી વીરબાઈ હાથ, દઈને અલોપ થયા તે નાથ, 
વાયક પહોચ્યા વીરપુર ગામ, સૌએ સમર્યા સીતારામ. 
૨૫. આજે પણ વીરપુરની માંહ્ય, સૌને એના દર્શન થાય, 
જન સેવા તો ખૂબજ કરી, ઠાર્યા સૌને પોતે ઠરી. 
૨૬. ઓગણીસો સાડત્રીસ માંહ્ય, બાપા સીધાવ્યા વૈકુંઠ માંહ્ય, 
મનુદાસ જે બાવની ગાય, દુ:ખથી છુટી સુખીયાં થાય.

દોહરો 

સાતે વારે સૌ સ્નેહીથી , બાપાની બાવની ગાય,
મનુ મુશીબત સૌ ટળે, હૈયે શાંતિ થાય.....

આરતી

જલારામ મારા હૃદય મંદિરમાં પુરણ પ્રેમે પધારો - ટેક ભવસાગર માં ભુલો પડયો છું જલારામ, પાર ઉતારો જલારામ
પતિતપાવન અધમ ઉદ્ધારણ, તાપ ત્રિવિધના નિવારો સ્વાર્થ ભર્યો આ રે સંસારે આશરો એક તમારો - જલારામ.
દ્વારે તમારે આવ્યા દોડી, સફળ કરો જન્મારો
કર જોડીને ભકતો વિનવે અમૃત દાસ તમારો - જલારામ. 

સ્તુતિ

કપુર ગૌરં કરૂણાવતારમ્ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ | 
સદા વસંતમ હદયાર વિન્દે ભવંમ ભવાનિ સહિત નમામિ|
મંગલં ભગવાન વિષ્ણુ મંગલમ ગરૂડધ્વજ | 
મંગલં પુંડરીકાક્ષ, મંગલાયતનોહરિ : || 
સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે | 
શરન્યે ત્રયંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે || 
નારાયણી નમોસ્તુતે ... 

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें