વડોદરા : રથયાત્રાના રૂટ પર સવારે 6 થી 12 કફર્યુ, ઘરની બહાર નીકળશો તો ગુનો નોંધાશે - SB Entertainment Blogs

शनिवार, 10 जुलाई 2021

વડોદરા : રથયાત્રાના રૂટ પર સવારે 6 થી 12 કફર્યુ, ઘરની બહાર નીકળશો તો ગુનો નોંધાશે

આ વખતે રથયાત્રા વડોદરા રેલવે સ્ટેશન ખાતેથી સવારે 9 વાગે નીકળશે અને બે કલાકમાં યાત્રા તેના નિર્ધારિત સ્થાને સંપન્ન કરી દેવામાં આવશે.

            કોરોના ને ધ્યાનમાં રાખી વડોદરા શહેરમાં અષાઢી બીજે પરંપરાગત રીતે કાઢવામાં આવતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા માં પહેલીવાર પરંપરા બદલવી પડી છે. અષાઢી બીજના રોજ તા.12 મીએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે કે કેમ તે અંગે ભારે દ્વિધા સેવાઇ રહી હતી. અમદાવાદની રથયાત્રાને શરતી મંજૂરી મળ્યા બાદ વડોદરા શહેરમાં પણ રથયાત્રાના આયોજક ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રાની તૈયારી કરવામાં આવી હતી.

          આજે વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ભાજપના આગેવાનો ઇસ્કોન ટેમ્પલ ખાતે આયોજકોને મળ્યા હતા અને કોરોના ની ગાઈડલાઈન વિશે ચર્ચા કર્યા બાદ રથયાત્રાને સત્તાવાર રીતે મંજૂરી આપવાની જાહેરાત કરી હતી.

          વડોદરામાં નીકળનારી રથયાત્રા માં છ પોલીસ સ્ટેશન વિસ્તાર નો સમાવેશ થતો હોવાથી રથયાત્રા જે પોલીસ સ્ટેશનમાંથી પસાર થશે ત્યાં કર્ફ્યુ નો અમલ કરવામાં આવશે. વહીવટીતંત્રે ભક્તોની લાગણીને ધ્યાનમાં રાખી રથયાત્રાને તેના પરંપરાગત રૂટ પર કાઢવાની પણ મંજૂરી આપી છે પરંતુ દર વર્ષે બપોરે 2:30 વાગ્યા બાદ રથયાત્રા નીકળતી હતી તે સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.


આયોજન : રથયાત્રાના રૂટ પર સવારે 6 થી 12 કફર્યુ, ઘરની બહાર નીકળશો તો ગુનો નોંધાશે

---> આ રૂટ પર કફર્યુ રહેશે : રેલવે સ્ટેશન, કાલાઘોડા, કોઠી, રાવપુરા, ન્યાયમંદિર, દાંડિયાબજાર, ખંડેરાવ માર્કેટ, રાજમહેલ રોડ, પથ્થરગેટ, બગીખાના.

---> રૂટ : રથયાત્રાનો રૂટ યથાવત રહ્યો, વર્ષોની પરંપરા તોડી સમય સવારે 9 થી 11 કરાયો.

---> દર્શન : ભગવાનો રથ ક્યાંય ઉભો નહીં રખાય, ઓનલાઈન જ દર્શન કરી શકાશે.

---> પ્રસાદ : કોઇપણ સ્થળે પ્રસાદની વહેંચણી, આરતી, સ્વાગત નહીં થાય.
     
            40 વર્ષમાં પહેલીવાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા કફયૂમાં નીકળશે. સોમવારે રથયાત્રાના રૂટ પર સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધી કફર્યુ રહેશે. રથયાત્રા પોતાના પારંપરીક રૂટ પર નિકળશે. વર્ષોની પરંપરા તોડી પહેલી વખત રથયાત્રાનો સમય બદલી સવારે કરવામાં આવ્યો છે. 12 જુલાઈને સોમવારે રથયાત્રા ખલાસી અને મંદિરના સંચાલકો સહિત 60 લોકો સાથે રેલ્વે સ્ટેશનથી સવારે 9 વાગે પ્રસ્થાન કરશે અને સવારે 11 વાગે પોલોગ્રાઉન્ડ ખાતે સમાપ્ત થશે. દર વર્ષે રથયાત્રા બપોરે 3 વાગે નીકળી રાતે 8 વાગે સમાપ્ત થતી હતી. ઈસ્કોન મંદિરમાં શુક્રવારે મંદિરના સંચાલકો અને તંત્ર વચ્ચે બે કલાક ચાલેલી મિટીંગમાં રથયાત્રાના આયોજનને આખરી ઓપ અપાયો હતો. કર્ફયુ ભંગ કરનાર સામે ગુનો નોંધવાની નવાપુરા પીઆઈએ ચીમકી ઉચ્ચારી છે.            
          ઈસ્કોન મંદિરમાં સવારે 11 વાગે શરૂ થયેલી મિટીંગમાં ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ, ધારાસભ્ય સીમાબેન, મોહિલે, રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલ અને પોલીસ કમિશનર ડો.શમશેર સિંઘ હાજર રહ્યાં હતાં. બેઠકમાં પોલીસ કમિશનર દ્વારા રથયાત્રાનો રૂટ કાલાઘોડા થી જેલ રોડ થઈ રાજમહેલ રોડ થઈ બગીખાના સુધી કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. પરંતુ ભાજપ પ્રમુખે રથયાત્રા તો પારંપરિક રૂટ પર જ નીકળશે તેમ જણાવ્યું હતું. ઈસ્કોન મંદિરના સ્વામી નિત્યાનંદ જણાવ્યું હતું કે, રથયાત્રાના દિવસે મંદિરમાં કોઈ ભંડારો નહીં યોજાય. 

          તેમજ ભક્તો આરતી નહીં કરી શકે. સવારે 9 વાગે રેલ્વે સ્ટેશનથી આરતી સાથે રથયાત્રા પ્રારંભ થશે. જેમાં હાજર તમામ ખલાસીઓ અને મંદિરના સંચાલકોના આરટીપીસીઆર ટેસ્ટ 48 કલાક પહેલા થઈ જાય તેનું આયોજન થઈ ગયું છે. રથયાત્રા શરૂ થયા બાદ ક્યાંય પણ નહીં રોકાય. કોઈ જગ્યાએ પ્રસાદની વહેંચણી કે આરતી, સ્વાગત અથવા ફુલહાર નહીં થઈ શકે. રથયાત્રા લગભગ બે થી અઢી કલાકમાં પોલોગ્રાઉન્ડ ખાતે સમાપ્ત થશે.

          રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલે જણાવ્યું હતું કે, ઈસ્કોન મંદિરમાં રથયાત્રા નિમિત્તે યોજાયેલી બેઠકમાં વડોદરાની રથયાત્રા બાબતે કેબિનેટમાં ચર્ચા કરી હતી કે રૂટ ઓછો નહીં થાય, વર્ષોથી જે માર્ગ પર યાત્રા થાય છે તે માર્ગ પર જ રથયાત્રા નિકળશે. ગૃહમંત્રી પણ મારી વાત સાથે સંમત થયા હતાં. આ યાત્રામાં સરકારે જે નિયમો નક્કી કર્યા છે, તે નિયમોનું પુરેપૂરું પાલન થશે. રથયાત્રાનો સમય બદલાયો છે. 



कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें